તા. ૨૪-૧-૨૦૧૩ નારોજ શાળાની પાછળ રહેતા એક સંસ્કારી કુટુંબનો દીકરો કે જે ભાવનગર મુકામે ધો-૧૨માં હાલમાં અભ્યાસ કરે છે. તેને તેની શાળામાં કોઈ કોમ્પીટીશનમાં રૂ.૫૦૦/- ઇનામ માં મળેલા હતા. આ દીકરાએ ઘરે આવી તેના દાદાને આ નાણા આપી કહ્યુ કે..... "આ નાણાંની પેન લઈ શ્રી તરસમીયા પ્રા. શાળામાં નાના બાળકોને વહેચી દો."
પોતાના પૌત્ર નું વેણ સાંભળી તુરંત ગદગદિત રીતે ખુશ થતા થતા તેણે પુત્રનું વેણ સાચવ્યુ. દાદાએ પોતાના નાના દીકરા સાથે શાળામાં આવી ધો : ૧ થી ૫ ના તમામ બાળકોને શાળામાં પેનનું દાન-વિતરણ કરેલ છે.
શાળા આવા સંસ્કારી દીકરાને તેના ધો.૧૨ માટે શુભેચ્છા પાઠવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો